કમળાબહેન પટેલકૃત ‘મૂળ સોતાં ઊખડેલાં’ સંદર્ભે વાર્તાલાપ (શનિવાર, 03 ફેબ્રુઆરી 2024)

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ

યોજે છે

સાહિત્યરસિક અને પત્રકાર તેજલ પ્રજાપતિ વાત કરશે

‘ભારત-પાકિસ્તાન વિભાજન અને નારીસંવેદના : મૂળ સોતાં ઊખડેલાં સંદર્ભે’

જ્યારે સાહિત્યરસિક અને પત્રકાર પાર્થ પંડ્યા વાત કરશે

‘કમળાબહેન પટેલકૃત મૂળ સોતાં ઊખડેલાં : એક દસ્તાવેજી અનુભવકથા

માંડણી અને પરિચય : પત્રકાર કલરવ જોશી

સમાપન : ડૉ. પંચમ શુકલ

શનિવાર, 03 ફેબ્રુઆરી 2024 ઠીક બપોરે 14.00 વાગ્યાથી

[ભારત : 19.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00; ઑસ્ટૃાલિયા : 01.00 ]

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/87872066854

(Meeting ID: 878 7206 6854)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.