આજે (શનિવાર, 13 જુલાઈ 2013) આપણે આપણા એક દિગ્ગજ સાહિત્યકાર બળવંત નાયકની લાઈફ સેલિબ્રેટ કરવા સારુ અહીં એકત્રિત થયાં છીએ. આ અવસરના એક ભાગરૂપે એમના વિષે વક્તવ્ય આપવા સાહિત્ય અકાદમીએ મને આમંત્રિત કર્યો છે, તે બદલ અકાદમીના અધિકારીગણનો હું ઓશિઁગણ છું. આવડી મોટી સર્વોત્મુખી પ્રતિભાની અખિલાઈને પામવી અને તેની સમગ્રતયાને તેના યોગ્ય સંદર્ભમાં મૂકી આપવામાં મારો માપદંડ ટૂંકો જ પડવાનો, એ જાણું છું. પરંતુ એક તરફ બળવંતભાઈના પ્રસંગને રૂડો બનાવવાની ધખના! તો બીજી તરફ વિપુલભાઈનું આમંત્રણ; એટલે છટકબારી શોધવાનું પણ મુશ્કેલ. આમંત્રણ સ્વીકાર્યું. એટલે મારી સમજણ મુજબ બળવંતભાઈની જીવની-કવની અને સાહિત્યિ ક્ષેત્રે એમણે કરેલા પ્રદાનને સમીક્ષવા પ્રયાસ કરીશ. બળવંતભાઈ સાથે મારો સૌ પ્રથમ પરોક્ષ પરિચય 1960ના ગળામાં થયેલો. એ સમયે બળવંતભાઈ કંપાલાથી બહાર પડતા “જાગૃતિ’’ વાર્તા માસિક્ના સંપાદક હતા, અને વાર્તાઓ લખવાની હું શરૂઆત કરી રહ્યો હતો. એ વખતે અમારી વચ્ચે પત્રવ્યવહારનો સેતુ રચાયેલો અને પરિચયમાં મુકાવાનું બનેલું. પણ પ્રત્યક્ષ પરિચયમાં આવવાનું બન્યું છેક 1984ની સાલમાં – અકાદમીમાં જોડાયા પછી. એ પછી બળવંતભાઈના નિવાસસ્થાન 48, શેકલટન રોડ, સાઉથહૉલ પર અનેકવાર જવા-આવવાનું બન્યું છે અને ફોન પર બળવંતભાઈનો પ્રસન્નતાભર્યો અવાજ સાંભળવા પણ મળ્યો છે. બળવંતભાઈના એ રણકતા અવાજ સાથે કેટલી ય વખત યુગાન્ડાનાં સંસ્મરણો સાથે બેસીને વાગોળ્યાં છે. એ જ રીતે કમળાબહેન સાથે પણ ક્યારેક ફોન પર હાઉહોંકારો કર્યો છે તો …
(ડૉ. નટવર ગાંધીના, “સંધિ” સામયિકના અંક -૧૪, અૅપ્રિલ – જૂન ૨૦૧૦, પાનાં ૭૭-૮૪ પરે, પ્રકાશિત મૂળ અંગ્રેજી લેખ ‘Gujarati Diaspora Writing — A Call for Independence’નું ગુજરાતી રૂપાંતર. મૂળ અંગ્રેજી પરથી રૂપાંતરકાર : વિપુલ કલ્યાણી) દર સાલ, વસંત ઋતુમાં અને ઉનાળાની મોસમ વેળા, ભારતીય મુલાકાતીઓનું એક ખાસ પ્રકારનું જૂથ, યાયાવરી પંખીઓની જેમ, નિયમિતપણે, ઉત્તર અમેરિકાની ભૂમિ ઉપર ઊતરી આવે છે. આમાં સાધુઓ છે, સ્વામીઓ છે, શિક્ષકો છે, લેખકો છે, કવિઓ છે, અરે, સબ બંદરના વેપારીઓ પણ નીકળી પડે છે. વસવાટીઓની અનેકવિધ આતુરતાઓને મલમપટ્ટા જાણે કે કરતા રહે છે. આપણે આપણા ભાતીગળ સાંસ્કૃતિક વારસાથી અને તેમાં ય આપણી ભાષા અને આપણા ધર્મથી દિવસે ને દિવસે વંચિત થતા જઈ રહીએ છીએ, તેવો આપણને સતત ભય વસેલો છે. આપણે જ્યારે ભારતમાં હતા ત્યારે આપણને તે વિષેની વિશેષ દરકાર રહેતી, એમ તો બનતું જ નહોતું, પરંતુ એક વાર વિદેશી મુલકમાં આવ્યા પછી તેની ચિંતા વધી છે. વતનમાં સંસ્કૃતિ સ્વાભાવિકપણે ચોમેર હતી. જાણે આપણે શ્વાસોશ્વાસમાં, સ્વાભાવિકપણે, જેમ હવા લેતા હોઈએ છીએ તેમ. આપણે તેને ગૃહિત માની લીધું હતું. કોઈ જ ખાસ મહેનત કરવાની જરૂર જ નહોતી. એક વાર અમેરિકી ભૂમિ પર આવી રહ્યા, કે આપણી સંસ્કૃતિ નવા વાતાવરણનો ભાગ હોય તેમ અનુભવવા મળતું જ નથી. આથી આપણે તેના પુન: સર્જન માટે લાગી પડીએ છીએ. આપણે …
‘જૂના જમાનામાં જીવનનો કબજો ધર્મે લીધો હતો. આજે એની જગ્યા સંસ્કૃતિને આપવામાં આવી છે. ધર્મનો હેતુ સૌથી પહેલાં જીવનશુદ્ધિનો હતો. સંસ્કૃતિનો હેતુ જીવનસમૃદ્ધિનો છે. સંસ્કૃતિનું વાયુમંડળ, એની આબોહવા તદ્દન ખુલ્લી હોય છે. સંસ્કૃતિમાં સંકુચિતતાને સ્થાન નથી હોતું. પણ જે લોકો માને છે કે સંસ્કૃતિ એટલે ગાનતાન, નાચતમાશા અને કવિઓના મુશાયરા, તેઓ એશઆરામના આશક બને છે અને પુરુષાર્થ ખોઈ બેસે છે. ધર્મમાં જે તેજ હતું તે સંસ્કૃતિમાં હજી પ્રગટ નથી થયું. જો માણસ જાતનો આપણે ઉદ્ધાર ચાહતા હોઈએ તો ધર્મનું તેજ, માનવતાની સંસ્કારિતા, ચારિત્ર્યનિષ્ટોની વીરતા અને મહેનત મજૂરીની નિષ્પાપતા એ બધી વસ્તુઓનો આપણે સમન્વય સાધવો જોઈએ. પ્રેમ અને તેજસ્વિતા, ત્યાગ અને ઉદ્યોગિતા એ સૌથી મોટી વસ્તુઓ છે.’ − આચાર્ય કાકાસાહેબ કાલેલકર • • • ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ અનુસાર, ‘સંસ્કૃતિ’ એટલે સભ્યતા; સુધારો; સામાજિક પ્રગતિ; ‘સિવિલિઝેશન’. આની પીઠિકાએ યુનાઇટેડ કિંગ્ડમ સમેતના યુરોપમાં ગુજરાતી સંસ્કૃતિની વિધવિધ અભિવ્યક્તિઓ તપાસવાની રાખીએ. પહેલો ગુજરાતી વિલાયતમાં ક્યારે આવ્યો હશે, તેની સ્પષ્ટ ઐતિહાસિક નોંધ મળતી નથી, પરંતુ, તેને ઓછામાં ઓછું દોઢસો વરસનો સમયગાળો થયો હોવો જ જોઈએ. આજે ગુજરાતી વિશ્વભ્રમણ કરતો થઈ ગયો છે. જગતના મોટા ભાગના દેશોમાં તેની જમાત પથરાઈ પણ છે. વિલાયતની જ વાત કરીએ તો તેની દાસ્તાં છેક ડોસાભાઈ કરાકાકૃત ‘ગ્રેટ બ્રિટનની મુસાફરી’ (૧૮૬૧)થી માંડીને, ૧૮૬૪માં પ્રકાશિત મહિપતરામ રૂપરામકૃત ‘ઇંગ્લૅન્ડની મુસાફરીનું વર્ણન’માં અને વળી, ૧૮૮૬માં …