સાહિત્યત્વ – કેતન રુપેરા સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક–વિજેતાઓનાં વક્તવ્યો (1991-2016) સંપાદક : અદમ ટંકારવી • પંચમ શુક્લ પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, યુનાઇટેડ કિંગ્ડમ પ્રકાશન વર્ષ : 2022 તા. 24-08-2022ના રોજ ગૂજરાત વિદ્યાપીઠ-અમદાવાદ મુકામે યોજાયેલા પરિસંવાદ ‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્યમાં સંચાલન દરમિયાન કેતન રુપેરાએ પૂરક વિગત રૂપે આપેલો અને આપવા ધારેલો, પુસ્તકનો બાહ્ય પરિચય Ø વર્ષ 1991થી 2016 દરમિયાન સાહિત્યક્ષેત્રે નોબેલ પારિતોષિક-પ્રાપ્ત વિજેતાઓનાં વક્તવ્યોનાં ગુજરાતી ભાષામાં થયેલા અનુવાદના સંચયનું આ સંપાદિત પુસ્તક છે. 21 અનુવાદકો દ્વારા અનુવાદ થયેલાં 26 વક્તવ્યોનું —એટલે કે આટલી માત્રામાં નોબેલ પારિતોષિક વિજેતાઓનાં વક્તવ્યો સમાવતું ગુજરાતી ભાષાનું આ સંભવત: પહેલું પુસ્તક છે. Ø કુલ મળીને 432 પૃષ્ઠનું આ પુસ્તક છે. પાકા પૂઠાંનું છે, પાનાંની સંખ્યાની તુલનાએ વજનમાં હળવુંફૂલ છે. Ø મુખપૃષ્ઠ પર આપ જે જુઓ છો તે સ્વીડનની નોબેલ અકેડેમીનું મુખ્ય મકાન- હેડ ક્વાર્ટર છે. અહીં જ નોબેલ પારિતોષિક વિજેતાનું સન્માન થાય છે, ને અહીં જ તેઓ સૌ પોતાનું પ્રતિભાવ પ્રવચન આપે છે. Ø મુખપૃષ્ઠ પર જોવા મળતો ચંદ્રક આપણામાંથી કોઈને જો અને જ્યારે ખરેખર જોવા-સ્પર્શવાનો થાય તો ત્યારનો આનંદ ત્યારે પણ અત્યારે આંશિક અનુભૂતિ માટે તેને મુખપૃષ્ઠ પર ઉપસાવવામાં આવ્યો છે. ટેકનિકલી તેને UV Varnish કરેલું કહેવામાં આવે છે. Ø સંપાદકોએ પુસ્તક “બ્રિટિશ ગુજરાતીઓ ગુજરાતી સાંભળે બોલે વાંચે લખે જીવે તે માટે એમણે કરેલ અથાગ પુરુષાર્થની કદર રૂપે” અકાદમીના પ્રમુખ વિપુલ કલ્યાણીને અર્પણ …
અદમ ટંકારવી અને પંચમ શુકલ સંપાદિત નોબેલ પારિતોષિક વિજેતાઓનાં વક્તવ્યોની ૧૯૯૧-૨૦૧૬ સુધીની શ્રેણીને આવરી લેતું સંપાદન એક વિશિષ્ટ સાહિત્યિક ઘટના છે. એનું પ્રકાશન વિપુલ કલ્યાણીની સાહિત્યિક સેવાઓને બિરદાવવા માટે થયું છે, એ વધારે સંતર્પક છે. સ્વીડીશ એકેડેમી દ્વારા અપાતું નોબેલ પારિતોષિક વિશ્વસ્તરે અદ્વિતીય અને અણમોલ ગણાય છે. નોબેલ પછી કોઈ મહોરની જરૂરત રહેતી નથી એટલે દરેક સર્જકનું એ જાગતિક-અજાગતિક સપનું બની રહે છે. છવ્વીસ પ્રકરણોમાં વિશ્વ ભરના વિજેતાઓએ પોતાની કેફિયત વર્ણવી છે અને એ સીમાચિહ્નરૂપ છે. બ્રિટન, નોર્થ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતનાં એકવીસ જેટલાં સ્ત્રી-પુરુષ અનુવાદકોએ પોતાનો કસબ દર્શાવીને પુસ્તકને આસ્વાદ્ય બનાવવાની મહેનત કરી છે, જેમાં નવ લેખિકાઓ અને બાર લેખકો છે. સંપાદકીય ચીવટ અને સૂઝસમજનો ધ્યાનાકર્ષક વિનિયોગ થયો છે. અદમ ટંકારવીથી એમનાં નામ-કામનાં કારણે પરિચિત તો પંચમ શુકલ “મા પાસે શીખ્યો છું હું “ કાવ્યનાં કારણે મને પોતીકા લાગ્યા છે. વિપુલભાઈ તો ખાસ્સા નજીક લાગે, કારણ કે એકાદ અછડતી મુલાકાત છતાં એમણે મને વખતોવખત યાદ કરીને સાહિત્યક્ષેત્રે વિશાળ વર્તુળનો પરિચય કરાવ્યો છે. સૌથી વધારે યાદ રહી ગયો છે એ કાર્યક્રમ જે અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી નાગરિક હિલચાલના સંદર્ભે હતો. અહીં વિજેતાઓમાં સાત લેખિકાઓ અને ઓગણીસ લેખકો છે. વિશ્વભરના સર્જકોની કેફિયત મૂળસોતી, પારદર્શક, વિચારવંત અને સહજ અનુભૂતિની અભિવ્યક્તિ છે. આ પુસ્તક એક બેઠકે વાંચી શકાય એવું નથી, કારણ કે એક …
પ્રકાશકીય યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીની નવમી ભાષા-સાહિત્ય પરિષદ(ર૯ અને ૩૦ ઑગસ્ટ, ર૦૧પ)ના અધ્યક્ષપદેથી, અદમ ટંકારવીએ એઝરા પાઉન્ડનું વાક્ય “Choose for translation, writers whose work marked a significant turning point in the development of world literature.” ટાંકીને કહ્યું હતું, “યુગવર્તી કૃતિઓના પ્રભાવે આપણા સાહિત્યકારની સર્જકચેતના સંમાર્જિત-પરિષ્કૃત થશે અને ગુજરાતી સાહિત્ય વધુ પ્રાણવાન, તેજોમય બનશે. કાળક્રમે કદાચ આપણી ભાષામાં કાફ્કા વાંછિત ધિંગું પુસ્તક નીપજી આવશે. એવું પુસ્તક જે મસ્તક પર ધડ દઈને ફટકો મારી આપણને જાગ્રત કરી દે, આપણી અંદર થીજી ગયેલા હિમસાગરને કુહાડો બની કાપે.” આના અનુસંધાને, આ પરિષદે ઠરાવેલું કે સાહિત્ય ક્ષેત્રે ચુનંદા નૉબેલ પારિતોષિક વિજેતાઓનાં પ્રવચનોના ગુજરાતી અનુવાદોનો એક સંચય તૈયાર કરવો; આ કામનું સંપાદન અદમ ટંકારવી અને પંચમ શુક્લને સોંપવું; તેમ જ અકાદમીના ચાર-સાડા ચાર દાયકાના પડાવે આ સંચયને સાંપ્રત અકાદમી પ્રમુખ વિપુલભાઈ કલ્યાણીના ગુજરાતી ભાષા-સાહિત્ય-સંસ્કૃતિ અને ડાયાસ્પોરા ક્ષેત્રે કરેલા કામની કદર રૂપે પ્રગટ કરવો. આ પુસ્તક માટે સંપાદકોએ સહસ્રાબ્દીના સંધિકાળની આસપાસના વર્ષો(૧૯૯૧થી ર૦૧૬)ની પસંદગી કરી હતી. નૉબેલ પ્રવચનોના અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ માટે યોગ્ય અનુવાદકોની પસંદગી અનૌપચારિક રીતે સંપાદકો અને અકાદમીના સંપર્કો દ્વારા સર્વસમાવેશક અભિગમને અનુસરીને કરવામાં આવી હતી. અલબત્ત, વૈશ્વિક સાહિત્યથી પરિચિત હોય; સંપાદકો અને અકાદમી સાથે નિર્વ્યાજ સ્નેહના સેતુથી જોડાઈને કામ કરી શકે એવી દેશ-પરદેશની (બ્રિટન, નૉર્થ અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ભારત) વ્યક્તિઓને નિમંત્રણ મોકલવામાં આવ્યા …
આજે (શનિવાર, 13 જુલાઈ 2013) આપણે આપણા એક દિગ્ગજ સાહિત્યકાર બળવંત નાયકની લાઈફ સેલિબ્રેટ કરવા સારુ અહીં એકત્રિત થયાં છીએ. આ અવસરના એક ભાગરૂપે એમના વિષે વક્તવ્ય આપવા સાહિત્ય અકાદમીએ મને આમંત્રિત કર્યો છે, તે બદલ અકાદમીના અધિકારીગણનો હું ઓશિઁગણ છું. આવડી મોટી સર્વોત્મુખી પ્રતિભાની અખિલાઈને પામવી અને તેની સમગ્રતયાને તેના યોગ્ય સંદર્ભમાં મૂકી આપવામાં મારો માપદંડ ટૂંકો જ પડવાનો, એ જાણું છું. પરંતુ એક તરફ બળવંતભાઈના પ્રસંગને રૂડો બનાવવાની ધખના! તો બીજી તરફ વિપુલભાઈનું આમંત્રણ; એટલે છટકબારી શોધવાનું પણ મુશ્કેલ. આમંત્રણ સ્વીકાર્યું. એટલે મારી સમજણ મુજબ બળવંતભાઈની જીવની-કવની અને સાહિત્યિ ક્ષેત્રે એમણે કરેલા પ્રદાનને સમીક્ષવા પ્રયાસ કરીશ. બળવંતભાઈ સાથે મારો સૌ પ્રથમ પરોક્ષ પરિચય 1960ના ગળામાં થયેલો. એ સમયે બળવંતભાઈ કંપાલાથી બહાર પડતા “જાગૃતિ’’ વાર્તા માસિક્ના સંપાદક હતા, અને વાર્તાઓ લખવાની હું શરૂઆત કરી રહ્યો હતો. એ વખતે અમારી વચ્ચે પત્રવ્યવહારનો સેતુ રચાયેલો અને પરિચયમાં મુકાવાનું બનેલું. પણ પ્રત્યક્ષ પરિચયમાં આવવાનું બન્યું છેક 1984ની સાલમાં – અકાદમીમાં જોડાયા પછી. એ પછી બળવંતભાઈના નિવાસસ્થાન 48, શેકલટન રોડ, સાઉથહૉલ પર અનેકવાર જવા-આવવાનું બન્યું છે અને ફોન પર બળવંતભાઈનો પ્રસન્નતાભર્યો અવાજ સાંભળવા પણ મળ્યો છે. બળવંતભાઈના એ રણકતા અવાજ સાથે કેટલી ય વખત યુગાન્ડાનાં સંસ્મરણો સાથે બેસીને વાગોળ્યાં છે. એ જ રીતે કમળાબહેન સાથે પણ ક્યારેક ફોન પર હાઉહોંકારો કર્યો છે તો …
(ડૉ. નટવર ગાંધીના, “સંધિ” સામયિકના અંક -૧૪, અૅપ્રિલ – જૂન ૨૦૧૦, પાનાં ૭૭-૮૪ પરે, પ્રકાશિત મૂળ અંગ્રેજી લેખ ‘Gujarati Diaspora Writing — A Call for Independence’નું ગુજરાતી રૂપાંતર. મૂળ અંગ્રેજી પરથી રૂપાંતરકાર : વિપુલ કલ્યાણી) દર સાલ, વસંત ઋતુમાં અને ઉનાળાની મોસમ વેળા, ભારતીય મુલાકાતીઓનું એક ખાસ પ્રકારનું જૂથ, યાયાવરી પંખીઓની જેમ, નિયમિતપણે, ઉત્તર અમેરિકાની ભૂમિ ઉપર ઊતરી આવે છે. આમાં સાધુઓ છે, સ્વામીઓ છે, શિક્ષકો છે, લેખકો છે, કવિઓ છે, અરે, સબ બંદરના વેપારીઓ પણ નીકળી પડે છે. વસવાટીઓની અનેકવિધ આતુરતાઓને મલમપટ્ટા જાણે કે કરતા રહે છે. આપણે આપણા ભાતીગળ સાંસ્કૃતિક વારસાથી અને તેમાં ય આપણી ભાષા અને આપણા ધર્મથી દિવસે ને દિવસે વંચિત થતા જઈ રહીએ છીએ, તેવો આપણને સતત ભય વસેલો છે. આપણે જ્યારે ભારતમાં હતા ત્યારે આપણને તે વિષેની વિશેષ દરકાર રહેતી, એમ તો બનતું જ નહોતું, પરંતુ એક વાર વિદેશી મુલકમાં આવ્યા પછી તેની ચિંતા વધી છે. વતનમાં સંસ્કૃતિ સ્વાભાવિકપણે ચોમેર હતી. જાણે આપણે શ્વાસોશ્વાસમાં, સ્વાભાવિકપણે, જેમ હવા લેતા હોઈએ છીએ તેમ. આપણે તેને ગૃહિત માની લીધું હતું. કોઈ જ ખાસ મહેનત કરવાની જરૂર જ નહોતી. એક વાર અમેરિકી ભૂમિ પર આવી રહ્યા, કે આપણી સંસ્કૃતિ નવા વાતાવરણનો ભાગ હોય તેમ અનુભવવા મળતું જ નથી. આથી આપણે તેના પુન: સર્જન માટે લાગી પડીએ છીએ. આપણે …